અમદાવાદમાં ભગવાન જગન્નાથીની રથયાત્રામાં ભક્તોનું ઘોડાપુર
અમદાવાદમાં ભગવાન જગન્નાથીની રથયાત્રામાં ભક્તોનું ઘોડાપુર
Blog Article
અમદાવાદમાં શુક્રવાર, 27 જૂન એટલે કે અષાઠી બીજે ભગવાન જગન્નાથની ૧૪૮મી રથયાત્રામાં હજારો ભક્તો ભગવાન જગન્નાથના દર્શન માટે ઉમટી પડ્યાં હતાં. શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિરમાંથી ખલાસી સમુદાય દ્વારા સદીઓ જૂની પરંપરા મુજબ ભગવાન જગન્નાથ, તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાના રથ અથવા રથો ખેંચવામાં આવ્યા હતા.